0
 
       મુકેશ અંબાણીના જિઓ ટેલિકોમે ફરીથી બજારમાં ધમાલ મચાવવા માટે એક નવી ઓફર લોન્ચ કરી દીધી છે. પોતાના ગ્રાહકોને દીવાળીની ભેટ આપવા માટે જિઓ “ જિઓ દીવાળી ધના ધન ” ઓફર અંતર્ગત 399 રૂપિયાના પ્લાન પર ફુલ કેશ બેક આપી રહ્યું છે. આ ઓફરનો ફાયદો મેળવવા માટે પ્રીપેડ કાર્ડ ધારકોને 12 થી 18 ઓક્ટોબર વચ્ચે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો કે આ પ્લાન 19 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

100% કેશબેક

       જિઓ 399 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 100% કેશબેક આપી રહ્યું છે. આ રિચાર્જ પર ગ્રાહકને જિઓ એપ્લીકેશનમાં 50 રૂપીયાના 8 વાઉચર મળશે. એટલે કે 399 રૂપિયાના રિચાર્જ પર 400 રૂપીયાનું કેશબેક મળશે. આ વાઉચર્સનો ઉપયોગ 309 રૂપિયાથી વધારેના રિચાર્જ પર એક-એક કરીને કરી શકાશે. જો કે જે લોકો આનો ઉપયોગ ડેટા એડ ઓન રિચાર્જમાં કરવા માંગે છે તો તેને 99 રૂપિયાથી વધારે ડેટા એડ ઓન ઓપ્શનની પસંદગી કરવી પડશે. આ વાઉચર્સ 15 નવેમ્બર બાદ જ ઉપયોગમાં લઈ શકાશે.
Credit By

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top