આ પ્લાનનો ઉપયોગ કરવા માટે વપરાશ કર્તાએ BSNLના સેલ્ફ કેર પોર્ટલ પર લોગઈન કરવું પડશે. અહીંયા વપરાશ કર્તાએ પોતાની પર્શનલ જાણકારી આપવી પડશે. સાથે જ એવા નંબરની જાણકારી આપવી પડશે.
BSNLના જનરલ મેનેજર શબ્દ યાદવે જણાવ્યું કે, "આ પ્લાનથી એવા લોકોને વધારે લાભ મળશે જે લોકો ઈન્ટરનેટ માટે પૈસા નથી ખર્ચી શક્તા. હવે આ સેવાના માધ્યમથી તેઓ ખૂબ જ સસ્તામાં ઈન્ટનેટ વાપરી શકશે. આ ઉપરાંત આ એક સરકારી યોજનાનો ભાગ છે. જે લોકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે. આ સેવાના માધ્યમથી દેશના દરેક લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે".
by http://www.sandesh.com/article.aspx?newsid=3252920